One Liner GK in Gujarati Questions Answer | Part 6 | એક લાઈન ના સવાલ જવાબ (251 to 300)
251) વોટસન સંગ્રહાલય ક્યાં શહેરમાં આવેલું છે?
– રાજકોટ
252) બાર્ટન સંગ્રહાલય ક્યાં શહેરમાં આવેલું છે?
– ભાવનગર
253) વલભીપુર વિદ્યાપાઠ ક્યાં જિલ્લામાં આવેલી છે?
– ભાવનગર
254) મોઢેરા કઈ નદીના કિનારે વસેલું છે?
– પુષ્પાવતી
255) મોઢેરા મંદિર કોના સમયમાં બંધાયું છે?
– ભીમદેવ સોલંકી પ્રથમ
256) શર્મિષ્ઠા તળાવ અને શામળશાની ચોરી નામના બે તોરણો ક્યાં શહેરમાં આવેલા છે?
– વડનગર
257) સંત મોરારી બાપુનું જન્મસ્થળ…
– તલગાજરડા
258) નરસિંહ મહેતાનું જન્મસ્થળ…
– તળાજા , ભાવનગર
259) જીરું અને ઈસબગુલ નું વિશ્વનું સૌથી મોટું બજાર …
– ઊંઝા
260) ભાવનગરના ક્યાં સ્થળે કાચબા ઉછેર કેન્દ્ર છે?
– હાથબ
261) વિસનગર શહેર કોણે વસાવ્યું?
– વીસળદેવ વાઘેલા
262) ઓઈલ એન્જીનનો ઉદ્યોગ ક્યાં શહેરમાં વિકસ્યો છે?
– રાજકોટ
263) તાંબા પિત્તળના વાસણોના ઉદ્યોગ માટે જાણીતું શહેર…
– વિસનગર
264) રાજકોટની સ્થાપના કોણેકરી?
– વિભોજી જાડેજા
265) ગાંધીજીનું રાજકોટમાં આવેલું નિવાસસ્થાન ક્યાં નામે ઓળખાય છે?
– કબા ગાંધીના ડેલા
266) ભગભદ ગોમંડળની રચના કોણે કરી?
– ભગવતસિંહજી
267) મહેસાણામાં કઈ સહકારી ડેરી આવેલી છે?
– દૂધસાગર ડેરી
268) સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ…
– ટંકારા
269) ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે?
– મોરબી
270) રાજકોટનું ક્યુ શહેર રામદેવપીરના સ્થાનક તરીકે ઓળખાય છે?
– રણુજા
271) રાજકોટનું ક્યુ શહેર સાડીઓના ઉત્પાદન માટે જાણીતું છે?
– જેતપુર
272) લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં શહેરમાં આવેલો છે?
– વડોદરા
273) હીરાભાગોળ વડોદરા જિલ્લાના ક્યાં શહેરમાં આવેલી છે?
– ડભોઇ
274) શિવના બાલ્યાવતાર ગણાતા ભગવાન લકુલીશનો જન્મ ક્યાં થયો હોવાનું મનાય છે?
– કાયાવરોહણ
275) દક્ષિણનું કાશી એટલે…
– ચાંદોદ
276) લાકડાના રમકડાં અને લાખકામ માટે પ્રખ્યાત સ્થળ…
– સંખેડા
277) શ્રી રંગઅવધૂતનો આશ્રમ વડોદરામાં આવેલો છે?
– નારેશ્વર
278) પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ…
– ચાંદોદ
279) વડોદરામાં ઓઈલ રિફાઇનરી ક્યાં આવેલી છે?
– કોયલી
280) અતુલનું રંગ રસાયણનું કારખાનું ક્યા આવેલું છે?
– વલસાડ
281) રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે?
– વલસાડ
282) વલસાડ જિલ્લામાં આવેલ પારસીઓનું પવિત્ર સ્થળ…
– ઉદવાડા
283) બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક…
– પાલનપુર
284) હિંમતનગર શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
– હાથમતી
285) ચતુર્મુખ બ્રહ્માજી નું મંદિર ક્યાં સ્થળે આવેલું છે?
– ખેડબ્રહ્મા
286) શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે?
– મેશ્વો
287) સાબરકાંઠા જિલ્લાનું વડુમથક…
– હિમનતનગર
288) માનવસર્જિત યાર્નનું મોટું માર્કેટ…
– સુરત
289) તાપી નદી અને દરિયાનું સંગમસ્થાન…
– ડુમમ્સ
290) જહાજવાડા અને ખાતર સંકુલ માટે જાણીતું સુરતનું શહેર…
– હજીરા
291) હિંમતનગર શહેર વસાવનાર…
– સુલતાન અહમદશાહ
292) સુરતમાં ક્યાં શહેરમાં સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું આવેલું છે?
– બારડોલી
293) વઢવાણ કઈ નદીના કિનારે વસેલું છે?
– ભોગાવો
294) તરણેતરનો પ્રખ્યાત મેળો ક્યાં જિલ્લામાં અને ક્યારે ભરાય છે?
– સુરેન્દ્રનગર , ભાદરવા સુદ 4, 5, 6
295) ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી ક્યાં આવેલું છે?
– થાનગઢ (સુરેન્દ્ર નગર)
296) તાપી જિલ્લાનું વડુમથક…
– વ્યારા
297) તાપી નદી પર ક્યાં બંધ બાંધવામાં આવ્યો છે?
– કાકરાપાર
298) પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલ કિલ્લો ક્યાં આવેલો છે?
– સોનગઢ
299) અર્વાચીન ઋષિ જુગતરામ દવેની આશ્રમ ક્યાં આવેલો છે?
– વેડછી
300) સેન્ટ્રલ પલ્પમીલ ક્યાં આવેલી છે?
– સોનગઢ