ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Itihas General Knowledge (281 to 320 Que)

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Itihas General Knowledge (281 to 320 Que)

281) ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર .માં આવેલું છે. (GPSC Class-2, 2018)

– અણહિલવાડ પાટણ 

282) મુઘલ સામ્રાજ્યમાં ગુજરાતના ‘સૂબા’ …………. સંખ્યામાં સરકારમાં વહેંચાયા હતા. (GPSC Class-2, 2018)

– 9

283) મહારણી વિકટોરીયાએ ક્યા રાજવીને ફરઝંદે ખાસ દોલત ઇંગ્લિશિયા’નો ઇલ્કાબ આપ્યો હતો ? (GPSC Class-2, 2018)

– સયાજીરાવ ત્રીજા 

284) ગાયકવાડ સરકાર અને કાઠિવયાવડના રાજાઓ સાથે થયેલ ‘વોકર સેટલમેન્ટ’ શાને લગતું હતું ? (GPSC Class-2, 2018)

– ખંડિણીની રકમ 

285) વડોદરાના ગાયકવાડ રાજવંશના પહેલા શાસક કોણ હતા ? (GPSC Class-1, 2018)

– પીલાજી 

286) ગાયકવાડ વંશના પ્રથમ રાજવી તરીકે ગુજરાતમાં કોણે શાસન કરેલ હતું ? (GPSC Class-1, 2018)

– પીલાજી ગાયકવાડ 

287)  છત્રપતિ શિવાજીએ સૌપ્રથમ વખત સુરત પર ક્યારે આક્રમણ કર્યું હતું ? (GPSC Class-1, 2018) 

– ઈ.સ. 1664

288) ક્યાં વર્ષમાં મોગલ શહેનશાહ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું? (GPSC Class-1, 2018) 

– ઈ.સ. 1535

289) ક્યાં રાજવીના શાસનકાળ દરમ્યાન 1914 માં વડોદરા ખાતે સો પ્રથમ સમગ્ર ભારત સંગીત પરિષદ યોજાઈ હતી? (GPSC Class-1, 2018) 

– મહારાજ સયાજીરાવ ગાયકવાડ 

290) ગુજરાતમાં ફરજીયાત અને મફત પ્રાથમિક શિક્ષણ, પોતાના રાજ્યમાં દાખલ કરનાર કયા રાજવી હતા ? (GPSC Class-1, 2018)

– સયાજીરાવ ગાયકવાડ 

291) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ? (GPSC Class-1, 2017)

–  ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા (Khan-i-Azam Aziz Koka)

292) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી. (GPSC Class-1-2, 2017)

– શેઠ શામળાજી 

293) કડીનો કિલ્લો……દ્વારા બાંધવામાં આવ્યો (GPSC Class-1, 2018)

– ગાયકવાડ કુલ 

294) સોનગઢ કિલ્લાનું નિર્માણ……દ્વારા કરવામાં આવ્યું હતું  (GPSC Class-1, 2018)

– પીલાજીરાવ ગાયકવાડ 

295) વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી? (GPSC Class-1,24- 2018)

– પીલાજી રાવ 

296) વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને કયા વર્ષમાં પદભ્રષ્ટ કરાયા હતા ? (GPSC Class-1, 2018)

– ઈ.સ. 1885

297) “શાળા ત્યાં પુસ્તકાલય’’ની નીતિ કયા રાજ્ય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ? (GPSC Class-1, 2018)

– વડોદરા 

298) અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિદ્વાન …………. થી પ્રભાવિત થઈ ગુજરાતમાંથી જજિયાવેરો કાઢી નાખવાની તથા પયૂષણાદિ બાર દિવસોએ “અમારિ’ની જાહેરાત કરી હતી. (GPSC Class-3, 2018)

– હીરવિજય સુરી 

299) કયા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપત્યની શરૂઆત થઈ હતી ? (GPSC Class-1, 2018)

– મુગલ સમય 

300) વડોદરાના પ્રથમ નિવાસી અધિકારી તરીકે મેજર એલેક્ઝાંડર વોકરની નિયુક્તિ ….. એ કરી હતી. ? (GPSC Class-1, 2019)

– ગર્વનર ડંકન 

301) સુરતની સંધિ….વચ્ચે થઇ (GPSC Class-2, 2020)

– બ્રિટિશ અને રાઘોબા 

302) પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું ? (GPSC Class-2, 2016)

– 1761

303) બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક ક્યું હતું ? (GPSC Class-1, 2016)

– અમદાવાદ 

304) ‘હન્ડ્રેડ ઈયર વોર’ ક્યા દેશો વચ્ચે થયેલ છે ? (GPSC Class-1, 2017)

– ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ 

305) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે “કર્ણાટક વિડ’ નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા? (GPSC Class-1, 2017)

– 3

306) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે? (GPSC Class-3, 2017)

– ફિરંગીઓ 

307) “અષ્ટ પ્રધાન મંડળ’ કોના સમયમાં કાર્યાન્વિત હતું? (GPSC Class-1,2, 2017)

– મરાઠા કાળ દરમિયાન 

308) જ્હોન મીડનહોલે ક્યા મોગલ સમ્રાટ પાસેથી વેપાર કરવાનું ફરમાન લેવાનો પ્રયત્ન કર્યો ? (GPSC PI, 2017)

– અકબર 

309) બંગાળમાં હુગલીમાંથી ક્યારે અને કોના દ્વારા પોર્ટુગીઝોને હાંકી કાઢવામાં આવ્યા ? (GPSC PI, 2017)

– 1631- કાસીમખાન 

310) પ્લાસીનું યુધ્ધ (Battle of Plassey) કયા વર્ષમાં થયેલ હતું ? (GPSC Class-1, 2020)

– 1757

311) શ્રીરંગપટ્ટન (Srirangapatna)ની સંધી ટીપુ સુલતાન અને કોના વચ્ચે થયેલ હતી ? (GPSC Class-1, 2020)

– કોર્નવોલિસ 

312) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ? (GPSC Class-2, 2017)

– અંગ્રેજ – ફ્રેન્ચ 

313) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક કયાં બનાવ્યું હતું ? (GPSC Class-2, 2017)

– સુરત 

314) ક્યા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ? (GPSC Class-2, 2017)

– પોર્ટુગીઝના 

315) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ? (GPSC Class-2, 2017)

– ફ્રાન્સિસ્કો-દ અલ્મોડા 

316) ક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? (GPSC Class-2, 2017)

– રૈયતવારી 

317) કયા વર્ષમાં બ્રટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક અપાયો હતો ? (GPSC Class-2, 2017)

– ઈ.સ. 1669

318) કથિત ‘કાળી કોઠરીની ઘટના’ (Black Hole Incident) કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? (GPSC Class-2, 2017)

– પ્લાસીનું યુદ્ધ 

319) ‘ચોથ’ અને ‘સરદેશમુખી’ કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? (GPSC Class-3, 2016)

– મરાઠા અર્થતંત્ર 

320) છત્રપતિ શિવાજીએ ‘ગઢ આયા પર સિંહ ગેલા’ આ વિધાન ક્યા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? (GPSC Class-3, 2016)

– તાનાજી

Leave a Comment