ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 5 | Itihas General Knowledge (161 to 200 Que)

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 5 | Itihas General Knowledge (161 to 200 Que)

161) ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે? (GPSC Class-2, 2017)

– સ્વામી રામાનંદ

162) કોણ વાહબી ચળવળ દ્વારા ઇસ્લામવાદની શુદ્ધતાને પુનઃસ્થાપિત કરવામાં દિશાવાન હતા. (GPSC Class-1, 2018)

– શાહ બાલીઉલ્લાહ

163) ભક્તિ સંપ્રદાયના હિમાયતી કોણ નથી? (GPSC Class-1, 2018)

– નાગાર્જુન

164) કોણે એવું અનુભવ્યું કે મુસ્લિમ રાજમા ખુબસુરત, સમૃધ્ધ અને કિંમતી મંદિરો સલામત નથી? (GPSC Class-2, 2018)

– વિઠ્ઠલેશ્વર

165) ક્યાં ભક્તિ યુગમાં સંતે તેમના સંદેશ પ્રચાર માટે હિંદીનો ઉપયોગ સૌથી પહેલા કર્યો હતો? (GPSC Class-1, 2018)

– રામાનંદ

166) વલ્લભાચાર્યનું તત્વજ્ઞાન …. છે. (GPSC Class-1-24, 2018)

– શુદ્ધ અદ્વૈતવાદ

167) ગુજરાતની સાહિત્ય પરંપરા મોટે ભાગે ……. સાથે જોડાયેલી છે. (GPSC Class-1, 2018)

– ભક્તિ આંદોલન

168) પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં ‘યવનપ્રિય’ શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે? (GPSC Class-1, 2018)

– કાળી મરી

169) ક્યાં સ્થળે શંકરાચાર્યએ મઠની સ્થાપના કરી ન હતી? (GPSC Class-1, 2019)

– કાશી

170) વલ્લભાચાર્યએ …… નો ફેલાવો કર્યો. (GPSC Class-2, 2020)

– વૈષ્ણવ ધર્મ 

171) દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનારા તેમના ધર્મ પત્નીનું નામ શું હતું? (GPSC Class-2, 2012)

– માતા સુંદરી

172) શંકરાચાર્ય અને મંડનમિશ્રના વાદ વિવાદ વખતે ન્યાય તોળનાર ભારતીય મહિલા એટલે ….. (GPSC Class-3, 2011)

– મંડનમિશ્રીની પત્ની

173) મારી જ્ઞાતિ નિમ્ન છે ,મારા કર્યો નિમ્ન છે અને મારો વ્યવસાય પણ નિમ્ન છે, આ નિમ્ન સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. આ કોને કહ્યું?  (GPSC Class-1, 2019)

– રવિદાસ

174) સંતોમાંથી કોણે કહ્યું કે ”હું ન તો મંદિરમાં છું કે ન તો મસ્જીદમા, ન તો કાબામાં છું કે ન કૈલાશમાં , ન તો હું સંસ્કાર અને સમારોહમાં છું , ન તો યોગ અને ત્યાગમાં છું. (GPSC Class-1, 2019)

– કબીર

175) ”પાહન પૂજે હરિ મિલે, તો મૈં પુજુ પહાર, તાતે યહ ચક્કી ભલી, પિસયો ખાય સંસાર”- કોની પંક્તિઓ છે? (GPSC Class-2, 2020)

– કબીર

176) ‘આરસ પર કોતરાયેલી કવિતા’ તરીકે ક્યુ જાણીતું છે? (GPSC Class-2, 2016)

– દેલવાડા 

177) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં ક્યા ગામમાં આવેલો છે? (GPSC Class-2, 2016)

– ઝીંઝુવાડા 

178) સહસ્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું? (GPSC Class-2, 2017)

– સિદ્ધરાજ જયસિંહ 

179) પાટણમાં આવેલી “રાણકી વાવ” કોણે બંધાવી? (GPSC Class-1, 2001)

– ઉદયમતિ 

180) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ જાહેર સન્માન કર્યું? (GPSC Class-1, 2001)

– સિદ્ધરાજ જયસિંહ 

181) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? (GPSC Class-1, 2016)

– સિદ્ધરાજ 

182) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં ક્યા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? (GPSC Class-1, 2016)

– હ્યુ એન સ્તાંગ 

183) મહમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા? (GPSC Class-1, 2017)

– અલ્બરૂની 

184) ‘સિધ્ધહેમ શબ્દાનું શાસન’ કયા વિષયનો ગ્રંથ છે? (GPSC Class-1, 2017)

– વ્યાકરણ 

185) “નરનારાયણાનંદ” મહાકાવ્યના સર્જનહાર કોણ છે? (GPSC Class-3, 2017)

– વસ્તુપાલ 

186) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? (GPSC Class-3, 2017)

– સોલંકી વંશ 

187) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું? (GPSC PI, 2017)

– નાગભટ્ટ – II 

188) ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો….. નાખ્યો હતો (GPSC PI, 2017)

– ચાવડાઓ 

189) છેલ્લા ચાલુક્ય રાજાને ……. દ્વારા હરાવવામાં આવ્યા હતા. (GPSC Class-1, 2020)

– ઉલુઘ ખાન 

190) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો? (GPSC Class-1, 2017)

– મૂળરાજ બીજો 

192) અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? (GPSC Class-2, 2017)

– વિમલમંત્રી 

193) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી? (GPSC Class-2, 2017)

– પાટણ 

194) ગુજરાતના કયા રાજવી દરમ્યાન મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઇ કરીને લૂંટ કરી હતી? (GPSC Class-2, 2017)

– ભીમદેવ પહેલો 

195) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા “કરણઘેલો” લખનાર કોણ હતાં? (GPSC Class-2, 2017)

– નંદશંકર મહેતા 

196) સ્થિરમતિ અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? (GPSC Class-2, 2017)

– વલભી 

197) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર ક્યું હતું? (GPSC Class-2, 2017)

– વલભી 

198) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? (GPSC Class-2, 2017)

– કર્ણદેવ વાઘેલા 

199) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે? (GPSC Class-2, 2017)

– કર્ણદેવ 

200) પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? (GPSC Class-3, 2016)

– સેનાપતિ ભટ્ટાર્ક

Leave a Comment