One Liner GK in Gujarati Questions Answer | Part 9 | એક લાઈન ના સવાલ જવાબ (401 to 450)
401) ગુજરાતનું ક્યુ હવાઈ મથક સંરક્ષણ ખાતું સંભાળે છે?
– જામનગર
402) ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક…
– અમદાવાદ હવાઈ મથક (સરદાર પટેલ)
403) કાગળ ઉદ્યોગનું જાણીતું સ્થળ…
– સોનગઢ , બારેજડી
404) ઈજનેરી ઉદ્યોગનો સૌથી વધુ વિકાસ ક્યાં શહેરમાં થયો?
– અમદાવાદ
405) હેમુ ગઢવીનું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે?
– લોકગીત
406) કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ…
– વિઠ્ઠલભાઈ પટેલ
407) જ્યોતિસંઘ નામના સંસ્થાના સ્થાપક…
– મૃદુલા સારાભાઈ
408) બ્રિટિશ પાર્લામેન્ટ ના પ્રથમ હિન્દી સભ્ય…
– દાદાભાઈ નવરોજી
409) ઓઈલ એન્જીનના ઉદ્યોગ માટે પ્રખ્યાત સ્થળ…
– રાજકોટ
410) બંસીલાલ વર્મા(ચકોર) નું નામ ક્યાં ક્ષેત્રે સંકળાયેલું છે?
– ચિત્રકલા (વ્યંગ ચિત્રકાર)
411) ગુજરાતમાં આદિવાસીઓના ઉદ્વારક તરીકે કોણ જાણીતા છે?
– ઠક્કરબાપા (અમૃતલાલ ઠક્કર)
412) ઝવેરી બહેનો (દર્શના ઝવેરી અને નયના ઝવેરી) ક્યાં નૃત્ય માટે પ્રખ્યાત છે?
– મણિપુરી નૃત્ય
413) કચ્છના રણમાં ભૂલ પડેલા લોકોનો જીવ બચાવનાર સંત…
– દાદા મેકરણ
414) જેસલ-તોરલની સમાધિ ક્યાં શહેરમાં આવેલી છે?
– અંજાર
415) સંત આપાગીગાની સમાધિ ક્યાં શહેરમાં આવેલી છે?
– સતાધાર
416) વિધવા અને ત્યકતાના તારણહાર ગણાતા સમાજસેવિકા…
– પુષ્પાબેન મહેતા
417) સ્વામી દયાનંદ સરસ્વતી નું જન્મસ્થળ…
– ટંકારા, મોરબી
418) મુસ્લિમ તીર્થધામ મીરા દાતાર ક્યાં આવેલ છે?
– ઉનાવા (પાટણ)
419) ઈન્દુલાલ યાજ્ઞિક નો આશ્રમ કઈ જગ્યાએ છે?
– નેનપુર , ખેડા
420) ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું?
– રવિશંકર મહારાજ
421) ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરાવનાર…
– બબલભાઈ મહેતા
422) પુસ્તકાલય પ્રવુતિ ના પ્રણેતા…
– મોતીભાઈ અમીન
423) ગુજરાતમાં સદાવિચાર પરિવાર ના સૂત્રધાર…
– હરિભાઈ પંચાલ
424) ગરબીઓ માટે પ્રખ્યાત…
– દયારામ
425) રતુદાન રોહડિયા અને શિવદાન ગઢવીએ ક્યાં ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો?
– ચારણી સાહિત્ય
426) ગરબો શબ્દ ક્યાં શબ્દ પરથી બન્યો છે?
– ગર્ભદીપ
427) ગુજરાતની ત્રણે શક્તિ પીઠો પર ગરબા લખનાર…
– વલ્લભ મેવાડો
428) સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું નૃત્ય…
– હાલી નૃત્ય
429) ભરુચ જિલ્લામાં શિયાળા માં થતું નૃત્ય…
– આગવા
430) ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ધાબુ ભરતી વખતે ક્યુ નૃત્ય કરે છે?
– ટિપ્પણી
431) ઉત્તર ગુજરાત માં માથે માંડવી કે જાગ મૂકીને બહેનો ક્યુ નૃત્ય કરે છે?
– માંડવી અને જાગનૃત્ય
432) મહેસાણાના ઠાકોરો દ્વારા હાથરૂમાલ રાખી કરાતું નૃત્ય…
– રૂમાલ નૃત્ય
433) રાંદલમાતાની સ્તુતિ માટે કરતુ નૃત્ય…
– હમચી કે હીચ નૃત્ય
434) જાફરાબાદના સિદી આદિવાસીઓનું નૃત્ય…
– સિદી ધમાલ
435) સિદી આદિવાસીઓના લોકનૃત્ય માં હાથમાં શું રાખી ને ખખડાવવામાં આવે છે?
– મશીરા
436) બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય…
– મેરાયો
437) ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય…
– ચાળો
438) અસાઈત ઠાકરે લખેલા ભવાઈ વેશોમાં સૌથી જૂનામાં જૂનો વેશ…
– રામદેવનો વેશ
439) ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા આદિવાસીઓ છે?
– 14.92
440) ગુજરાતમાં ગુજરાતી ભાષી લોકોની સંખ્યા કુલ વસ્તીના કેટલા ટકા છે?
– 89.36
441) ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર…
– અમદાવાદ
442) ગુજરાતમાં દર વર્ષે નાના-મોટા કેટલા મેલા ભરાય છે?
– 1600
443) ગુજરાતમાં સૌથી વધુ મેળા ક્યાં વર્ષમાં ભરાય છે?
– શ્રાવણ
444) ભરત ભરેલા છત્રીઓ ક્યાં મેળાનું વશિષ્ટ આકર્ષણ છે?
– તરણેતર
445) શામળાજીનો મેળો ક્યાં જિલ્લામાં ક્યારે ભરાય છે?
– અરવલ્લી , દેવઉઠી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા
446) ગધેડાઓના ખરીદ – વેચાણ માટે પ્રખ્યાત મેળો…
– વૌઠાનો મેળો
447) ગાંધીનગર જિલ્લા ના રુપાલમાં પલ્લી ક્યારે ભરાય છે?
– આસો સુદ નોમ
448) વૌઠાનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે?
– અમદાવાદ , કાર્તિકી 11 થી પૂનમ
449) તરણેતરનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે?
– સુરેન્દ્રનગર , ભાદરવા સુદ 4, 5, 6
450) ખેડા જિલ્લાના ડાકોરમાં ક્યાં માસની પૂનમે મોટો મેળો ભરાય છે?
– આસો